HomeNationalકેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ બાદ ભૂસ્ખલન, 43થી વધું લોકોના મૃત્યુ

કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ બાદ ભૂસ્ખલન, 43થી વધું લોકોના મૃત્યુ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

કેરળના વાયનાડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે 1 વાગ્યાથી વાયનાડના મેપ્પડી, મુબાદક્કાઈ અને ચુરલ માલા પહાડીઓ પર ભૂસ્ખલન થયું છે. પછીનો ભૂસ્ખલન ચુરલ માલા ખાતે વહેલી સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. શિબિર તરીકે સેવા આપતી એક શાળા, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું.

કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ

કેરળના મુખ્ય સચિવ વી.વેણુએ જણાવ્યું કે, લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ જણાવ્યું છે કે, હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, “વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories