વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩ મો જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવાકીય અને અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી હતી

Share this story

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦ મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરમાં ભારે વરસાદ હોવા છતાં પણ વિવિધ શહેર વિસ્તારોથી ૯૫ જેટલી ધાત્રી માતાઓ દ્વારા પોતાનું દૂધનું દાન કરી જે નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ નથી મળતું એ બાળકોને મિલ્ક બેંકના માધ્યમથી આ દૂધ પહોંચાડવામાં આવતી હોય છે. ૨૦૦૮થી અમૃતમ સંસ્થા સિમેર હોસ્પિટલ ની સાથે મળીને આ મધર મિલ્ક ડોનેશન કેમ્પ કરી રહી છે અત્યાર સુધી ૮,૨૧,૫૫૦ મિલી લિટર દૂધ આ સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે અને બોર્ડ ૧,૫૦,૦૦૦ નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવામાં આવ્યું છે.

આવનાર સમયમાં અમૃતમ સંસ્થા દ્વારા પ્રાઈવેટ બેંકની સ્થાપના કરશે. જેથી જરૂરિયાત બંધ નવજાત બાળકોને વિનામૂલ્યે આ દૂધ આપવામાં આવશે. અમૃતમ સંસ્થાના સંસ્થાપક કુંજ પંસારી એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર અમૃતમ સંસ્થા એવી સંસ્થા છે જે આ સેવક્ય પ્રવૃત્તિ વિનામૂલ્યે કરે છે અને માતાઓને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ અમૃત દૂધ અને પૌષ્ટિક દૂધ નવજાત બાળકોને તેમની સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે જેથી તેઓ સુરતની ત્રણ મહિલા મંડળની સંસ્થાઓના સહયોગથી આ કેમ્પ કરતા હોય છે.

આ કાર્યક્રમમાં એવી પણ માતાઓ હતી. જે ત્રણ થી ચાર વખત કરવા માટે પહોંચી હતી અને માતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી બીજા બાળકોને પણ આ પૌષ્ટિક દૂધ મળે હેતુથી આ મિલ્ક ડોનેશન તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચો :-