હવે AAPના સાંસદ સંજયસિંહને ત્યાં EDની તપાસ

Share this story

એનફોર્સમેંટ ડિરેક્ટોરેટ (ED) યે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના દરોડા પડ્યા હતા. જાણવવામાં આવ્યું હતું કે EDએ દરોડા દિલ્લી વિવાદાસ્પદ લીકર પોલિસીમાં થયેલા કોભાંડને લઈ ને પાડ્યા છે. અગાઉ સંજય સિંહની નજીકના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય સિંહનું નામ દારૂ કોભાંડની  ચાર્જશીટમાં પણ હતું. દિલ્હી ના ડેપ્યુટી સીએમ મનીષ સિસોડદિયાની પણ દારૂ નીતિ કોભાંડ કેશમાં ધરપકડ કરવામાં આવે છે .

સંજય સિંહનું નિવાસસ્થાન દિલ્હીના નોર્થ એવન્યુમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતા સંજય સિંહના ઘરની બહાર CRPFના જવાનો પણ તૈનાત છે. ઘરની અંદર EDના ઘણા અધિકારીઓ હાજર છે. લગભગ એક કલાકથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઇડી વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

સંજય સિંહના બે સહયોગીઓ સર્વેશ મિશ્રા અને અજીત ત્યાગીના ઘરે ED પહેલા જ દરોડા પાડી ચૂકી છે. દારૂના વેપારીઓ સાથેની વાતચીતના સંદર્ભમાં EDએ બંનેની પૂછપરછ કરી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં બે આરોપી રાઘવ મગુંટા અને દિનેશ અરોરા સાક્ષી બન્યા છે. જે બાદ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં આરોપી રાઘવ મગુંટા YSR કોંગ્રેસના સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર છે. કોર્ટે દિનેશ અરોરાને પણ સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. હાલ બંને જામીન પર બહાર છે. આ પહેલા અરબિંદો ફાર્માના ડાયરેક્ટર શરદ રેડ્ડી પણ સરકારી સાક્ષી બન્યા હતા. એટલે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકો સરકારી સાક્ષી બન્યા છે.