HomeNationalહવે લખનૌની યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાંથી એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

હવે લખનૌની યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાંથી એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

દેશમાં આજે એક સાથે ત્રણ જગ્યાએથી મહિલાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. એક તરફ કોલકાતામાં એક સગીર કિશોરી સાથે દુષ્કર્મનો કિસ્સો બન્યા બાદ ત્યાં ભારે તંગદિલી છવાયેલી છે તો બીજી તરફ કોલકાતાની જ અન્ય એક હોસ્પિટલમાં દર્દીઓ પોતે નર્સ સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. તો સાંજ પડતાં પડતાં લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા છે. આ વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવતીના પિતા IPS ઓફિસર છે. તેણીની ઓળખ અનિકા રસ્તોગી તરીકે થઈ છે.

anika-rastogi-died-in-lucknow-hostel

મળતી માહિતી મુજબ યુવતી તેના હોસ્ટેલના રૂમમાં બંધ હતી. તે લાંબા સમય સુધી દરવાજો ખોલતો ન હતો. આવી સ્થિતિમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થિની રૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વિદ્યાર્થિનીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોલેજ પ્રશાસન કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અહેવાલ મુજબ IPS સંતોષ રસ્તોગીની પુત્રી અનિકા રસ્તોગીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અનિકા લોહિયા નેશનલ લૉ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષની વિદ્યાર્થી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img