HomeSurat Cityસુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી મળ્યો નઝીર અહમદનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા અંગે...

સુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી મળ્યો નઝીર અહમદનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા અંગે ઉઠ્યા અનેક સવાલો

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાનના એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતદેહ મળી આવતાની સાથે જ ભેસ્તાન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નઝીર અહમદનો મૃતદેહ જે રીતે બંધ ફ્લેટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે તેના કારણે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

બંધ ફલેટમાંથી નઝીરનો મૃતદેહ મળતા ચકચાર
ઘટનાની ગંભીરતા જોતાં ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સૌપ્રથમ મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પુરાવાઓ એકઠા કરવા અને મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી જરૂરી સેમ્પલો એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી
ભેસ્તાન પોલીસે હાલ બે મુખ્ય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, શું કોઈએ નઝીર અહમદની હત્યા કરી છે? કે પછી નઝીર અહમદે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે? પોલીસે મૃતકના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. તેમજ મૃતકનો વ્યવસાય અને છેલ્લી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી રહી છે.

Subscribe

Latest stories

spot_img