HomeGujaratનાના પાટેકર રાજકારણમાં કરશે એન્ટ્રી !

નાના પાટેકર રાજકારણમાં કરશે એન્ટ્રી !

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ભારતમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જેમાં બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પણ ઉતર્યા છે. અભિનેતાએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. નાનાએ ખેડૂતોને પોતાનો નિર્ણય લેવા અને સરકારને ચૂંટવા કહ્યું છે. નાના કહે છે કે હવે સમય આવી ગયો છે કે ખેડૂતોએ કંઈ ન માંગવું જોઈએ પણ નક્કી કરવું જોઈએ કે તેઓ દેશમાં કોની સરકાર લાવવા માંગે છે. આ સાથે જ તેણે પોતાના રાજકારણમાં પ્રવેશને લઈને પણ જવાબ આપ્યો છે.

Nana Patekar 'Slap' viral video : Actor breaks silence, apologies | 'લાફા' એપિસોડ પર નાના પાટેકરે કર્યો નવો ખુલાસોઆ વખતે ખેડૂતોનો પક્ષ લેતા તેમણે કહ્યું કે, દેશમાં પહેલા ૮૦-૯૦ ટકા ખેડૂતો હતા, હવે માત્ર ૫૦ ટકા ખેડૂત છે. સરકાર પાસે હવે કંઈ માંગશો નહીં, સરકાર કોની લાવવી છે તે નક્કી કરો. હું રાજકારણમાં ના આવી શકું, કારણ કે, જે મારા મનમાં છે, તે જ મારા મોઢા પર આવશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી નાખશે. પાર્ટી બદલતા બદલતા એક મહિનામાં બધી જ પાર્ટી ખતમ થઈ જશે. અહીંયા આપણે ખેડૂતભાઈઓ સાથે આપણાં મનની વાત કરી શકીએ છીએ. જે લોકો આપણું દરરોજ પેટ ભરે છે, તેમની કોઈને પડી જ નથી.

ખેડૂતો સાથેની વાતચીતમાં નાના પાટેકરે જણાવ્યું કે, ‘જો હું આપઘાત કરું તો પણ ખેડૂત તરીકે જ જન્મ લઈશ. ખેડૂત ક્યારેય પણ એવું નહીં કહે કે, હું ખેડૂત તરીકે જન્મ લેવા નથી માંગતો. અમે જાનવરોની ભાષા સમજીએ છીએ, આપણે પ્રાણીઓની ભાષા જાણીએ છીએ, શું તમને ખેડૂતોની ભાષા બોલતા નથી આવડતી?’

ઉલ્લેખનીય છે કે નાના પટેકર હંમેશાં ખેડૂતોના સપોર્ટમાં બોલતા આવ્યા છે. તેઓ પોતાને ખેડૂતોના મોટા હિતેચ્છુ બતાવે છે. નયને અગાઉ પણ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહેલી આત્મહત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે એક સંસ્થા બનાવી હતી, જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતભાઈ આત્મહત્યા ન કરે, પરંતુ તેમને ફોન કરે. નાના મુજબ, તેમણે આર્થિક સ્થિતિમાં આત્મહત્યા કરનારા ખેડૂતની ૧૮૦ વિધવાઓને ૧૫-૧૫ હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img