HomeNationalમુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડને આજે ભારત લાવવામાં આવશે

મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડને આજે ભારત લાવવામાં આવશે

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, તેની ફ્લાઈટ અમેરિકાથી રવાના થઈ ગઈ છે અને તે આજે ભારત પહોંચશે. આતંકી હુમલામાં સામેલ અમેરિકન નાગરિક પણ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો સહયોગી છે. તેના પ્રત્યાર્પણ માટે દેશની અનેક એજન્સીઓના અધિકારીઓ અમેરિકા પહોંચી ગયા છે.

ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી, જ્યારે આતંકવાદી રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની એક પણ યુક્તિ કામ કરી શકી નહોતી. રાણા અમેરિકાથી ભારત આવ્યા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ગુપ્ત એગ સેલમાં રાખવામાં આવી શકે છે.

26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા, જેને અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે, તેને આજે અમેરિકાથી એક ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યો છે. તે ગુરુવારે બપોરે દિલ્હી પહોંચશે, જ્યાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવશે. આ પછી, તેને રાજધાનીની તિહાર જેલમાં રાખવામાં આવશે, જ્યાં તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા, રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં NIA આરોપીની કસ્ટડીની માંગ કરશે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અનુસાર રાણાને મુંબઈ લાવીને પૂછપરછ અથવા કોઈ સ્થાનિક મામલે કસ્ટડીમાં લેવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજુ સુધી તહવ્વુર રાણાની મુંબઈ ટ્રાન્સફરને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી. જણાવી દઈએ કે, તહવ્વુર રાણા એક પાકિસ્તાની-કેનેડાનો નાગરિક છે, જેને અમેરિકામાં લશ્કર-એ-તૈયબાને સહયોગ આપવા અને મુંબઈ હુમલાનું કાવતરૂ સામેલ થવાના આરોપમાં ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતાં. 2008 ના આ હુમલામાં 174થી વધારે લોકોના મોત થઈ ગયા છે.

Subscribe

Latest stories

spot_img