HomeNationalમોદી સરકારનો અમેરિકાને બે ટૂક સંદેશ, ફાયદો હશે તો જ થશે ટ્રેડ...

મોદી સરકારનો અમેરિકાને બે ટૂક સંદેશ, ફાયદો હશે તો જ થશે ટ્રેડ ડીલ

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

અમેરિકા સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ (વ્યાપાર કરાર)ને લઈને ભારત સરકારે પોતાનું વલણ વધુ સ્પષ્ટ અને કડક બનાવ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત વહેલી તકે આ કરારને અંતિમ સ્વરૂપ આપે, પરંતુ મોદી સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર સમયમર્યાદા અથવા દબાણને કારણે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં. સરકારનું કહેવું છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને વૈશ્વિક વેપારમાં દેશની સ્થિતિ સતત સુધરી રહી છે, તેથી માત્ર કરાર કરવા માટે કોઈપણ સમજૂતી સ્વીકારવામાં આવશે નહીં.

ટ્રેડ ડીલની વાતચીત ક્યાં અટકી?
મીડિયા અહેવાલો અનુસાર, ગયા મહિને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓને લઈને સહમતિ ન બનતાં ચર્ચા આગળ વધી શકી નહોતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ટ્રેડ ડીલ પર અંતિમ નિર્ણય લેવામાં નહીં આવે.

ભારતની મુખ્ય માંગણીઓ શું છે?
ભારત ઈચ્છે છે કે ભારતીય ઉત્પાદનોને અમેરિકાના બજારમાં અન્ય દેશો, ખાસ કરીને ચીનની સરખામણીએ વધુ અનુકૂળ ટેરિફ (જકાત) મળે. સાથે જ અમેરિકા એ ખાતરી આપે કે કરાર થયા પછી ભારતીય માલ પર અચાનક નવા ટેક્સ અથવા વધારાના શુલ્ક લાદવામાં નહીં આવે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર અંગે પણ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સરકારનું કહેવું છે કે ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

અમેરિકા શું ઈચ્છે છે?
અમેરિકા ઈચ્છે છે કે નવા ટેરિફ અમલમાં આવે તે પહેલાં ભારત કેટલીક વેપારી છૂટછાટો જાહેર કરે. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર સમયના દબાણ હેઠળ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ અગાઉ કહી ચૂક્યા છે કે ભારત માત્ર એવી જ ટ્રેડ ડીલ કરશે જેમાં દેશના હિતો સુરક્ષિત રહે. જો કરારથી ભારતને લાભ નહીં મળે તો તેને સ્વીકારવાની કોઈ જરૂર નથી.

ભારતે કેમ વલણ કડક કર્યું?
વાસ્તવમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થઈ છે. વૈશ્વિક પડકારો હોવા છતાં દેશની નિકાસમાં વધારો થયો છે. અખાતી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) સાથેનો વ્યાપાર ફરી વેગ પકડી ચૂક્યો છે અને અમેરિકામાં થતી નિકાસ પણ વધી છે. એટલું જ નહીં, ભારતે પોતાના માટે અન્ય વિકલ્પો પણ તૈયાર કરી લીધા છે. બ્રિટન સાથેનો મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) ટૂંક સમયમાં જ લાગુ થવા જઈ રહ્યો છે, જ્યારે યુરોપિયન યુનિયન સાથે પણ વાતચીત ઝડપથી આગળ વધી રહી છે. એટલે કે હવે ભારત માત્ર અમેરિકા પર નિર્ભર નથી.

આર્થિક મોરચે પણ ચિત્ર ઉત્સાહજનક છે. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતનો વિકાસ દર (ગ્રોથ રેટ) વધવાનો અંદાજ મૂક્યો છે. આવી સ્થિતિમાં સરકારને વિશ્વાસ છે કે તે વધુ સારી શરતો પર વાટાઘાટો કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોદી સરકારનો સંદેશ એકદમ સ્પષ્ટ છે… માત્ર સમજૂતી કરવા ખાતર કોઈ સમજૂતી નહીં થાય. જો ડીલ થશે તો તે ભારતના હિતોને ધ્યાનમાં રાખીને જ થશે. આ જ કારણ છે કે આ વખતે નવી દિલ્હી અમેરિકાના દબાણમાં આવવાને બદલે પોતાની ચાલ ખૂબ જ સમજી-વિચારીને ચાલી રહ્યું છે.

Subscribe

Latest stories

spot_img