Thursday, Apr 30, 2026

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત

2 Min Read

કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકારે પણ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ અંગે જાણકારી આપી છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વખત માથુ ઉંચક્યુ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે આ બાબતની માહિતી આપી છે અને તેમણે લોકોને અપીલ કરી છે તેનાથી ગભરાવું નહીં.

અજિત પવારે જણાવ્યું કે, મારા કેબિનેટ સહયોગીઓમાંથી એક ધનંજય મુંડે કોવિડ-૧૯થી સંક્રમિત થઈ ગયા છે. તેના માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, ધનંજય મુંડેના કાર્યાલયે પણ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હજું સુધી વેરિએન્ટ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે (૨૦ ડિસેમ્બર) તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે કહ્યું કે, ‘મંત્રી ૨૧ ડિસેમ્બરે તેમના ઘરે ગયા, આઈસોલેશનમાં રહ્યા અને ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ પણ લીધી. હવે કોઈ લક્ષણો નથી. હવે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article