ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે ૨૪૨ ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને તાજેતરમાં જ પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી હતી. તેના ટ્રાયલનો ઉલ્લેખ ત્રણ પાનામાં કરવામાં આવ્યો હતો.
બીજેપીના એર્નાકુલમ મતવિસ્તારના ઉમેદવાર કે એસ રાધાકૃષ્ણન સામે લગભગ ૨૧૧ કેસ નોંધાયેલા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ જ્યોર્જ કુરિયને કહ્યું કે, ‘મોટાભાગના કેસ ૨૦૧૮માં સબરીમાલા વિરોધ સાથે જોડાયેલા છે. મોટાભાગના કેસ કોર્ટમાં છે. જ્યારે પાર્ટીના નેતાઓ હડતાળ પર હતા અથવા વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તે સંદર્ભમાં ઘણા કેસ નોંધ્યા હતા.’
ભાજપના પ્રદેશ પ્રમુખ સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા કુરિયને જણાવ્યું હતું કે ૨૩૭ કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંદર્ભમાં નોંધાયેલા છે. પથાનમથિટ્ટા જિલ્લામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે ભાજપ અને તેની સંલગ્ન સંસ્થાઓએ ૨૦૧૮ માં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
જ્યોર્જ કુરિયને કહ્યું કે, ઉમેદવારો સામેના કેસોની વિગતો જાહેર કરવી ફરજિયાત છે. આ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે શુક્રવારે ટ્વિટ કરીને સુરેન્દ્રન, રાધાકૃષ્ણન, પાર્ટીના અલપ્પુઝા ઉમેદવાર શોભા સુરેન્દ્રન અને વાટાકરાના ઉમેદવાર પ્રફુલ્લ કૃષ્ણ વિરુદ્ધના કેસની વિગતો આપી હતી.” સંતોષે X પર પોસ્ટ કર્યું કે, ભારતના કેટલાક ભાગોમાં રાષ્ટ્રવાદી બનવું મુશ્કેલ છે. તે રોજિંદા સંઘર્ષ છે, પરંતુ તે સંઘર્ષને યોગ્ય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, ‘૨૩૭ કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંબંધમાં નોંધાયેલા છે.
આ પણ વાંચો :-