ઇસરો આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. આજે ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L૧ તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું છે. આદિત્ય-L૧ ને સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ ૧ (L૧) ની આસપાસ કોરોનલ ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. ૨ સપ્ટેમ્બરના રોજ, ISROના PSLV-C૫૭ એ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC), શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. હવે તે આજે લગભગ ૪ વાગ્યની આસપાસ નિશ્ચિત L૧ પોઈન્ટ પર પહોંચ્યું છે.
આદિત્ય L૧ મિશન લાઈવ ભારતનું પ્રથમ સન મિશન આદિત્ય એલ ૧ આજે તેના ગંતવ્ય પર પહોચી ગયું છે. આદિત્ય L૧ ને સન – અર્થ- લેગ્રેંજ પોઈન્ટ ૧ ની આસપાસ કોરોનલ ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. લેગ્રેન્જ પોઈન્ટ ૧ ની આસપાસ આદિત્યને પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાનું કાર્ય આજે હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે L૧ એ અવકાશમાં એક એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ શનિવારે દેશના પ્રથમ અવકાશ-આધારિત મિશન ‘આદિત્ય L૧’ અવકાશયાનને સૂર્યનો અભ્યાસ કરવા માટે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર તેની ફાઈનલ ઓર્બિટમાં મૂક્યું છે. અવકાશયાન પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ ૧ L૧ ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.