Saturday, Feb 14, 2026

ભારતીય હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

1 Min Read

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતી મંગળવાર રાત્રે દેરથી હવાઈ હુમલો કર્યો. આ હુમલાથી પાકિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ છે. ભારતીય સેનાએ POKના ધમોલ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં પણ મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

આ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર આપાતકાલીન સ્થિતિ જાહેર કરીને તેને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સિયાલકોટ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Share This Article