HomeNationalનાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ

નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, નાગપુર જિલ્લાના નરખેડ તાલુકાના મોવડ ગામમાં નિવૃત્ત શિક્ષક વિજય પચૌરી તેમની પત્ની અને પુત્રો સાથે મૃત હાલતમાં મળી આવ્યા છે. પુત્રો દીપક અને ગણેશની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે. વિજયની પત્નીનું નામ માલાબાઈ છે.

પોલીસનું કહેવું છે કે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં ચારેયની સહી છે. એક પુત્ર 38 વર્ષનો હતો અને બીજો 36 વર્ષનો હતો. બંનેએ હજુ લગ્ન કર્યા ન હતા. બંને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. સહકારી મંડળીમાં પુત્ર સામે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. મધ્યપ્રદેશના પાંડુરાની કો-ઓપરેટિવ સોસાયટીની ફરિયાદના આધારે પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. તેને એક મહિના પહેલા જ જામીન મળ્યા હતા. આ સુસાઇડ નોટમાં પણ લખવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના માવડ ગામમાં બુધવારે સવારે આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેની પત્નિ માલા (ઉ.વ. 55), અને બે દિકરા ગણેશ (ઉ.વ.38), દિપક (ઉ.વ. 36) થઈ છે. વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img