સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેકસ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી કાઢા બાદ કરાયેલી પૂછપરછમાં યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છેજેની ધરપકડ પોલીસે કરી છે.
સુરતના અમરોલીમાં દેહ વ્યપાર, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસની સફળતા મળી છે. મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ ઓળખ ધારણ કરીને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી હતી. તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી તેને રાજસ્થાનમાં વૈશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. નાગોર જિલ્લાના દેગાણ ગામે ૧૫ જેટલા નરાધમોએ સગીરાને પીંખી નાંખી હતી.
લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર જ્યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. ૨૬ વર્ષીય મોનીરાખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. જ્યોતિ તરીકે ઓળખ આપનારી મોનીરાખાતુન કિશોરીને બ્યૂટી પાર્લરમાં કામ અપાવવાનું કહી લઇ ગઇ હતી.
કિશોરી એ પોલીસને જણાવ્યું હતું કે તેને ૨૫થી ૩૦ હજાર કમાણી થશે એમ કહી જ્યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. જ્યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. જ્યોત્સનાએ જણાવેલી હકીકતના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહુલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી.