ન્યૂઝીલેન્ડમાં ગુરજીત સિંહની ચાકુ મારીને હત્યા, પરિવારે ન્યાયની કરી માંગ

Share this story

ન્યૂઝીલેન્ડના અખબારના કહેવા પ્રમાણે પાઈન હિલ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય ગુરજીત સિંહનો મૃતદેહ તેમના ઘરની બહાર મળ્યો હતો. તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. એ પછી પોલીસે એક વ્યક્તિની આ મામલામાં ધરપકડ કરી હતી. જોકે હજી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી પણ પોલીસે તેને ડુનેડીન કોર્ટમાં રજૂ કર્યો છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા શકમંદની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી. ગુરદીપ સિંહના મૃત્યુ સાથે જોડાયેલા આરોપમાં તે ડુનેડિન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થયો છે. ગુરદીપ ગયા અઠવાડિયે મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ તેના પાઈન હિલ ઘરની બહારથી મળ્યો હતો. તેનું શરીર લોહીથી લથબથ અને તેની બોડી પાસે તૂટેલા કાચ પડ્યા હતા.

સોમવારે ડ્યુનેડિન પહોંચેલા ગુરદીપ સિંહના પિતા નિશાન સિંહે કહ્યું કે પોલીસે શંકાસ્પદની ધરપકડ કરવામાં સારું કામ કર્યું છે. જોકે, તેમણે કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ સંતુષ્ટ નહીં થાય. આ તપાસ દરમિયાન ગુરદીપ સિંહના પિતાને પોલીસ અને સ્થાનિક પંજાબી સમુદાય બંનેનો સહયોગ મળ્યો હતો. ઓટાગો પંજાબી ફાઉન્ડેશન ટ્રસ્ટે ગુરદીપ સિંઘના પરિવારને ટેકો આપવા માટે ‘ગીવલિટલ પેજ’ની સ્થાપના કરી છે કારણ કે તે પરિવારમાં એકમાત્ર કમાનાર હતો.

ગુરજીતના પિતા નિશાન સિંહનુ કહેવુ છે કે, ન્યૂઝીલેન્ડ પોલીસે આરોપીને પકડીને સારુ કામ કર્યુ છે પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. દરમિયાન ન્યૂઝીલેન્ડના સ્થાનિક પંજાબી સમુદાયે પણ ગુરજીતના પરિવારને મદદ કરવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

આ પણ વાંચો :-