સુરત : આદિવાસી શિષ્યવૃત્તિને લઈ આજે ગુજરાતભરમાં એબીવીપીએ ધરણા કર્યા હતા. સુરતમાં યુનિવર્સિટી ખાતે ધરણા કર્યા હતા. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણયના વિરુદ્ધમાં ધરણા તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે એબીવીપી ના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી, રસ્તા રોકો તથા સદબુદ્ધિ હવન યોજી વિરોધ.