Sunday, Jul 20, 2025

ભારતના ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીનું લંડનમાં અવસાન, ક્રિકેટ વિશ્વમાં શોકની લહેર

2 Min Read

ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોશીનું 23 જૂન, 2025 ને સોમવારે 77 વર્ષની વયે નિધન થયું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર હૃદયને લગતી સમસ્યાઓના કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.

દિલીપ દોશીનો જન્મ 22 ડિસેમ્બર 1947ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. બીસીસીઆઈએ તેમના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. દિલીપ દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, પુત્ર નયન જેઓ સરે (ઈંગ્લિશ કાઉન્ટી) અને સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા અને પુત્રી વિશાખા છે.

દિલીપ દોશી ક્રિકેટર કરિયર
દિલીપ દોશીએ ભારત માટે 33 ટેસ્ટ અને 15 વન ડે રમી હતી. જેમા તેમણે અનુક્રમે 114 અને 22 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેમણે 6 ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. તેમણે માત્ર 28 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પુરી કરી હતી. ક્લાસિકલ લેફ્ટ આર્મર એક્શનથી બોલિંગ કરનારા દિલીપ દોશીએ વન ડેમાં 3.96ના ઇકોનોમી રેટથી વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમોને તેમના આર્મ બોલને સંભાળવામાં મુશ્કેલી પડી હતી.

દિલીપ દોશી ક્રિકેટ રેકોર્ડ
દિલીપ દોશીએ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ અને તેણે પ્રથમ ઈનિંગમાં 103 રનમાં છ વિકેટ અને 167 રનમાં આઠ વિકેટ ઝડપી હતી. દિલીપ દોશી એ નવ ભારતીય ક્રિકેટરોમાંના એક છે જેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. જાવેદ મિયાંદાદે જ 1982-83માં પાકિસ્તાન સામેની સિરિઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય ઝડપી બનાવી હતી.

Share This Article