Sunday, Jul 20, 2025

પૂર્વ મુખ્યામંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવાશે, અંતિમ યાત્રાનો રૂટ જાહેર

1 Min Read

સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરાઇ છે. ઋષિકેશ પટેલ, પુરૂષત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા-સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી ચૂક્યા છે. સોસાયટીમાં તેમના નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે. DNA રિપોર્ટ મેચ થયા બાદ પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાનમાં કરવામાં આવશે.

વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હતા તેથી પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.

સ્વ. પૂર્વ મુખ્યમત્રી વિજયભાઈની અંતિમ યાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે.
નિવાસ સ્થાન થી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ થી માલવીયા ચોક, કોર્પોરેશન ચોક થી ધર્મેન્દ્ર રોડ સાંગણવા ચોક થઈ ભુપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન

Share This Article