- પાછલા લાંબા સમયથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. હવે હિટમેને પોતે આ પાછળનું કારણ જણાવ્યું છે.
૨૦૨૨ ટી ૨૦ વર્લ્ડ કપના બાદથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી ૨૦ ટીમનો ભાગ નથી. જોકે BCCIની તરફથી તેને લઈને સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આખરે કેમ આ બન્ને દિગ્ગજ ખેલાડી ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે તેનો ખુલાસો કર્યો છે.
મુંબઈમાં એક ઈવેન્ટ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ અને વર્લ્ડ કપ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા છે. આ વચ્ચે તેમણે એવું પણ જણાવ્યું કે આખરે કેમ તે અને વિરાટ કોહલી ટી ૨૦ કિક્રેટ નથી રમી રહ્યા.
આ સમસ્યા પર ચિંતિત છે રોહિત :
રોહિત શર્માએ જણાવ્યું કે ટીમના મહત્વના ખેલાડીઓના ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ખૂબ જ પરેશાન છે. સાથે જ તેમણે ટીમ ઈન્ડિયાની ઈંજરી વાળી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી.
રોહિતે ટી ૨૦ ટીમના બહાર હોવાને લઈને કહ્યું, “ગયા વર્ષે પણ અમે આવું કર્યું હતું. ટી ૨૦ વર્લ્ડ કપ થવાનો હતો. તો અમે વન ડે ક્રિકેટ ન રમી. આ વર્ષે વનડે વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે તો અમે ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. આ વર્લ્ડ કપનું વર્ષ છે અને અમે પોતાને ફ્રેશ રાખવા માંગીએ છીએ પહેલાથી આ અમારી ટીમમાં એટલા ઈજાગ્રસ્ત છે કે હવે મને ઈંજરીથી ડર લાગે છે.”
આ પણ વાંચો :-