HomeSportsઆખરે કેમ T20માં રોહિત અને કોહલી ક્રિકેટ નથી રમી રહ્યાં ? ખુદ...

આખરે કેમ T20માં રોહિત અને કોહલી ક્રિકેટ નથી રમી રહ્યાં ? ખુદ ભારતીય કેપ્ટને કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img
  • પાછલા લાંબા સમયથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. હવે હિટમેને પોતે આ પાછળનું કારણ જણાવ્યું છે.

૨૦૨૨ ટી ૨૦ વર્લ્ડ કપના બાદથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી ૨૦ ટીમનો ભાગ નથી. જોકે BCCIની તરફથી તેને લઈને સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આખરે કેમ આ બન્ને દિગ્ગજ ખેલાડી ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે તેનો ખુલાસો કર્યો છે.

મુંબઈમાં એક ઈવેન્ટ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ અને વર્લ્ડ કપ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા છે. આ વચ્ચે તેમણે એવું પણ જણાવ્યું કે આખરે કેમ તે અને વિરાટ કોહલી ટી ૨૦ કિક્રેટ નથી રમી રહ્યા.

આ સમસ્યા પર ચિંતિત છે રોહિત :

રોહિત શર્માએ જણાવ્યું કે ટીમના મહત્વના ખેલાડીઓના ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ખૂબ જ પરેશાન છે. સાથે જ તેમણે ટીમ ઈન્ડિયાની ઈંજરી વાળી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી.

રોહિતે ટી ૨૦ ટીમના બહાર હોવાને લઈને કહ્યું, “ગયા વર્ષે પણ અમે આવું કર્યું હતું. ટી ૨૦ વર્લ્ડ કપ થવાનો હતો. તો અમે વન ડે ક્રિકેટ ન રમી. આ વર્ષે વનડે વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે તો અમે ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. આ વર્લ્ડ કપનું વર્ષ છે અને અમે પોતાને ફ્રેશ રાખવા માંગીએ છીએ પહેલાથી આ અમારી ટીમમાં એટલા ઈજાગ્રસ્ત છે કે હવે મને ઈંજરીથી ડર લાગે છે.”

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img