Tuesday, Oct 28, 2025

ખાધુ-પીધુ ખભે આવશે ! બપોરે તમે કેટલાં વાગે જમો છો ? જો ટાઈમમાં લોચા હશે તો પડશે લોચા

2 Min Read

Eating and drinking will come

  • BEST TIME OF LUNCH : કહેવાય છેકે, ખાવાનું ખાવું જ જરૂરી નથી. તમે કયા ટાઈમે ખાવ છો કયા ટાઈમે તમે ભોજન કરો છો એની તમારા શરીર પર તમારા સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે.

શારીરિક શક્તિ (physical strength) અને ઉર્જા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશો અથવા ખોટા સમયે ખાશો તો ઘણી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. દરેક કામની જેમ જમવાનો પણ યોગ્ય સમય છે. જ્યારે તમારા શરીરને વધુ પોષણ (Nutrition) અને ઉર્જાની જરૂર હોય. અમને આ લેખમાં લંચ ખાવાનો યોગ્ય સમય જણાવીશું…

તમારે બપોરે કયા સમયે ખાવું જોઈએ?
ઘણી ભારતીય હસ્તીઓને ખોરાક અને પોષણની સલાહ આપનાર ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર કહે છે કે લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 11 થી 1 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન તમારે ખોરાક લેવો જોઈએ.

જો તમે સમયસર ભોજન ન કરી શકો તો?
ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે જો તમે કોઈ પણ કારણસર બપોરે 11 થી 1 વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન ન લઈ શકો તો આ સમય દરમિયાન તમારે એક કેળું ખાવું જોઈએ. તે પછી, જ્યારે પણ તમને સમય મળે પછી બપોરનું ભોજન કરો. આ ટિપ અપનાવવાથી તમને એસિડિટી અને માથાનો દુખાવો નહીં થાય.

બપોરનું જમવાના ફાયદા :
દિવસમાં ત્રણ વખત ખાવાનું ખૂબ મહત્વનું છે. લંચમાં, તમારે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફેટ, વિટામિન્સ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. આવો ચાલો બપોરના ભોજન એટલે કે બપોરના ખાવાના ફાયદા જાણીએ.

1 સમયસર બપોરનું ભોજન કરવાથી તમારી ખોવાયેલી તાકાત અને ઉર્જા પાછી આવે છે.

2 સંતુલિત લંચ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે અને ફોકસ વધે છે.

3 યોગ્ય અંતરાલ પર ખોરાક ખાવાથી, તમારું ચયાપચય સક્રિય રહે છે.

4 બપોરના ભોજનમાં સમાવિષ્ટ પોષક તત્વોની મદદથી ઘણી સમસ્યાઓ પણ રોકી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article