જાતિવાદના કારણે સ્મશાનમાં મહિલાના અગ્નિ સંસ્કાર ન થવા દીધા, પરિવારે ખેતરમાં આપ્યો અગ્નિદાહ

Share this story

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવાની ગ્રામજનોએ ના પાડતા. આખરે પરિવારે ખેતરમાં મહિલના મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો. મામલો સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર મામલે મામલતદાર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધાવા કહેવાયું છે.