પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવાની ગ્રામજનોએ ના પાડતા. આખરે પરિવારે ખેતરમાં મહિલના મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો. મામલો સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર મામલે મામલતદાર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધાવા કહેવાયું છે.
સુમિત્રાબેનને પ્રસૂતિ બાદ શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને તેમનું મોત થઈ ગયું. જે બાદ પરિવારજનો વતન ઘોઘંબાના કંકોડાકૂઈ ગામે ૧૪ ડિસેમ્બરે તેમને અંતિમ સંસ્કાર માટે લઈને પહોંચ્યા હતા. અહીં સ્મશાનમાં તેમના મૃતદેહને લઈ ગયા હતા પરંતુ ગ્રામજનો ત્યાં અંતિમવિધિ કરવાની ના પાડતા મહિલાના મૃતદેહને ઘરમાં બે દિવસ સુધી રાખવા માટે પરિવાર મજબૂર બન્યો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના કંકોડાકોઈ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા અંતિમવિધિ અટકાવી હતી. વિગતો મજબ કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના ૧૨ દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેથી અંતિમવિધી માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જોકે ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખવો પડ્યો હતી. જે બાદમાં પોતાની માલિકીના ખેતરમાં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો :-