Wednesday, Oct 29, 2025

ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

2 Min Read
  • ગણેશ ચતુર્થીનું પર્વ આંગણે ટકોરો મારી રહ્યું છે. ત્યારે આ દિવસોમાં અમુક નિયમનું પાલન કરીને દુંદાળા દેવની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.

ગણેશ ચતુર્થી આ વખતે ૧૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. ૧૦ દિવસ સુધી ચાલતા આ તહેવારનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહત્વ છે. ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા આ દિવસમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે.

આ ૧૦ દિવસમાં બાપ્પાને અનેક પ્રકારના વ્યંજનોનો ભોગ ધરવામાં આવે છે. ત્યારે અમુક નિયમનું પાલન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં તેનું હકારાત્મક પરિણામ મળે છે. જાણો રાશિ પ્રમાણે ઉપાય !

મેષ :

મેષ રાશિના જાતકોએ ગણેશજીની પૂજામાં ગોળનો ભોગ ધારવો જોઈએ. જયારે વૃષભ રાશિના જાતકએ બપ્પાને મીસરી અર્પિત કરવી જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગની દાળ અથવા મગના લાડુ જરૂરિયાતમન્દ લોકોને દાન કરવા જોઈએ. તો કર્ક રાશિના જાતકોએ ૧૧ મોદક ગણપતિજીને ભોગ લગાવી ૧૧ કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.

સિંહ :

સિંહ રાશિના જાતકો કિશમિશ નાખેલી ખીર ગણપતિજીને ૧૦ દિવસ ભોગ ધરવી જોઈએ તો કન્યા રાશિના જાતકો આ દિવસે ગણેશજીની બાળ સ્વરૂપની પૂજા કરીને સૂકા મેવાનો ભોગ ધરવો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તુલા રાશિના લોકોએ ગણેશજીને ૫ નારિયેળ ચઢાવવા અને ઘીનો દીવો કરવો તથા વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશજીણી પૂજા કરવી જોઈએ અને તેલ ચઢાવવું જોઈએ.

ધન રાશિના જાતકોએ આ ૧૦ દિવસ ૐ ગં ગણપતેય નમઃ મંત્રનો જાપ શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. તો મકરાણી રાશિના જાતકોએ એલચી, લવિંગની સાથે પીળા રંગના ફૂલ ગણપતિને અર્પિત કરવા જોઈએ. તો કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાન આપવાની સાથે સાથે ગણપતિની આરતી કરવી જોઈએ. અને છેલ્લે મિનિટ રાશિના જાતકોએ હરિદ્રા ગણેશની પૂજા મઢ અને કેસરથી કરવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article