HomeNationalકારગિલ યુદ્ધનો હીરો કહેવાતા ગોવાળ તાશી નામગ્યાલનું નિધન

કારગિલ યુદ્ધનો હીરો કહેવાતા ગોવાળ તાશી નામગ્યાલનું નિધન

Date:

Related stories

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના...

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની...

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ...

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’... આ કોઈ બાળકની બર્થડે...
spot_img

લદ્દાખનો એ ગોવાળીયો જે વગર લડે કારગિલ યુદ્ધનો હીરો કહેવાતો હતો તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. વાસ્તવમાં 1999માં લદ્દાખના કારગિલ સેક્ટરમાં પાકિસ્તાનની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને સૌ પ્રથમ ચેતવણી આપનાર ભરવાડ તાશી નામગ્યાલનું આર્યન ખીણમાં અવસાન થયું હતું. તેઓ 58 વર્ષના હતા. નામગ્યાલે આ વર્ષની શરૂઆતમાં તેમની પુત્રી સેરિંગ ડોલકર સાથે દ્રાસમાં 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે આયોજિત ઉજવણીમાં હાજરી આપી હતી. તાશી નામગ્યાલની પુત્રી વ્યવસાયે શિક્ષિકા છે.

ભારતીય સેનાના લેહ સ્થિત ‘ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સ‘એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, અમે તાશી નામગ્યાલને તેમના આકસ્મિક નિધન પર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એક દેશભક્ત હવે આપણી વચ્ચે નથી રહ્યા. લદ્દાખના બહાદુર – તમારી આત્માને શાંતિ મળે. દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય સેનાએ નામગ્યાલને શ્રદ્ધાંજલિ આપતાં 1999માં ઓપરેશન વિજય દરમિયાન રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને પ્રકાશિત કર્યું અને કહ્યું કે તેમનું નામ ઇતિહાસમાં ‘સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.’

નોંધનિય છે કે, તાશી નમગ્યાલનું લદ્દાખની આર્યન ખીણમાં ગારખોનમાં અવસાન થયું હતું. 1999માં મેની શરૂઆતમાં તાશી નામગ્યાલે તેમના ગુમ થયેલા યાકની શોધમાં બટાલિક પર્વતમાળા તરફ પ્રયાણ કર્યું. અહીં તેણે પઠાણી પોશાકમાં સજ્જ કેટલાક લોકોને બંકર ખોદતા જોયા, જે સિવિલ ડ્રેસમાં પાકિસ્તાની સૈનિકો હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેણે તરત જ ભારતીય સેનાને તેની જાણ કરી. તાશી નામગ્યાલે આપેલી આ સમયસર માહિતીએ ભારતના સૈન્ય પ્રતિભાવને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તાશી નામગ્યાલ દ્વારા સમય પર આપવામાં આવેલી સૂચનાએ ભારતની સૈન્ય પ્રતિક્રિયાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 3 મે અને 26 જુલાઈ 1999 વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ ઝડપથી એકત્ર થઈ શ્રીનગર-લેહ હાઇવેને બ્લોક કરીને પાકિસ્તાનના ગુપ્ત મિશનને નિષ્ફળ બનાવ્યું હતું. આ યુદ્ધમાં ભારતની જીતમાં તાશી નામગ્યાલની સતર્કતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં તેમની ભૂમિકા માટે તાશીને બહાદુર અને દેશભક્ત ગોવાળ ગણાવ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img