Wednesday, Nov 5, 2025

સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મના પકડાયેલ આરોપી શંકરનું મોત

1 Min Read

સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. બે આરોપીને પકડી લીધા હતા. જે પૈકી આજે આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં આરોપી શિવશંકરનું મોત નિપજ્યું છે.

માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article