ક્યારેક ક્યારેક આપણી નજર સામે જ એવી ઘટનાઓ બનતી હોય છે, કે જે આપણને માનવામાં ન આવે, આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ કે, આવું કેવી રીતે શક્ય બન્યું. હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક દાદાનો છે જેમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી તેમની અંતિમ ક્રિયા માટેની સંપુર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી.સામાજિક વિધિ પ્રમાણે તેમના દેહને અર્થી પર મુકવામાં આવ્યો હતો, જ્યા તેમને અર્થી પર બાંધવામાં આવ્યા હતા અને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી હતી ત્યાજ એક ચમત્કાર થયો હતો.
દાદાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. પરિવારે તેમને અર્થી પર મુકી દીધા છે, અને હવે અંતિમ ક્રિયા માટે સ્મશાનઘાટ લઈ જવાની તૈયારી ચાલી રહી છે. પરિવારના સગા-સંબંધી તેમની પાસે ઉભેલા છે. પરંતુ આ દરમ્યાન કોઈનું ધ્યાન જાય છે કે, દાદાની આંખો ધીરે- ધીરે હલી રહી છે. શરુઆતમાં કોઈને વિશ્વાસ ન થયો. પરંતુ ફરીવાર જોયુ તો દાદા આંખો ખોલવાની કોશિશ કરી રહ્યા હતા.
એ પછી થોડીવારમાં જ પરિવારને આભાસ થયો કે અમે જેમને મૃત સમજી રહ્યા હતા તે તો હકીકતમાં જીવતા છે. તેથી તેમને જીવતા જોઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ તેમની ઉપર ઓઢાડેલ કફન હટાવી લીધુ હતું અને ત્યાર બાદ તેમને ઉભા કરી પરિવારે ગળે લગાવ્યા હતાં. મોતને માત આપી જીવતા થયેલા દાદાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ- અલગ પ્લેટફોર્મ પર છવાઈ ગયો છે.
આ પણ વાંચો :-