HomeNationalદિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી

દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી

Date:

Related stories

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ ન્યાય વિંદુની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ED વતી એએસજી એસવી રાજુ અને કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી કોર્ટમાં હાજર હતા અને બંનેએ પોતપોતાની દલીલો આપી હતી. વિક્રમ ચૌધરીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

Delhi Chief Minister Arvind Kejriwal Arrested by Enforcement Directorate in Liquor Policy Case - Newsx

આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉઝ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના PA પાસેથી ૨૫ કરોડ રૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img