HomeNationalનેપાળ હિંસા વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં, યુપી પોલીસને આપી આ મોટી...

નેપાળ હિંસા વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં, યુપી પોલીસને આપી આ મોટી સૂચના

Date:

Related stories

BRICS સમિટમાં અમેરિકા પર રશિયા અને ઈરાન ભડક્યા, ભારત માટે શું રહેશે પડકારો?

રશિયા અને ઈરાને શુક્રવારે BRICS શિખર સંમેલન દરમિયાન અમેરિકા...

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...
spot_img

નેપાળમાં અસામાન્ય અને સંવેદનશીલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર, ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના તમામ સરહદી જિલ્લાઓમાં પોલીસને 24 કલાક હાઇ એલર્ટ પર રહેવાના આદેશો જારી કર્યા છે. ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે, વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને પેટ્રોલિંગ અને દેખરેખ મજબૂત બનાવવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય.

લખનૌમાં કંટ્રોલ રૂમની સ્થાપના
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા માટે, લખનૌના પોલીસ મુખ્યાલય ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક, કાયદો અને વ્યવસ્થા હેઠળ કાયદો અને વ્યવસ્થા શાખામાં એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. અહીં ત્રણ હેલ્પલાઇન નંબર અને એક વોટ્સએપ નંબર 24×7 કાર્યરત રહેશે, જેના દ્વારા નાગરિકો સીધી મદદ મેળવી શકશે.

  • 0522-2390257
  • 0522-2724010
  • 9454401674
  • વોટ્સએપ- 9454401674

સંવેદનશીલ માહિતી અથવા પોસ્ટ પર નજર રાખવામાં આવશે
આ ઉપરાંત, પોલીસ મુખ્યાલયના સોશિયલ મીડિયા યુનિટને નેપાળ સંબંધિત કોઈપણ સંવેદનશીલ માહિતી અથવા પોસ્ટ પર સતત નજર રાખવા અને જરૂર પડયે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નેપાળમાં કસાયેલા ભારતીય નાગરિકોને શક્ય તેટલી તમામ મદદ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

સરહદ પર દેખરેખ વધારી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળમાં થયેલી હિંસાને દુખદ ગણાવી છે. તેમણે નેપાળના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને યુપીમાં નેપાળ સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. માહિતી અનુસાર, બિહારથી નેપાળ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેપાળથી આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img