Sunday, September 24, 2023
Home SCIENCE AND TECHNOLOGY Chandrayaan 3 : ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ને...

Chandrayaan 3 : ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ને લોન્ચ કરાશે

  • Chandrayaan 3 Launch મિશન ચંદ્રયાન ૩ના લોન્ચિંગ માટે બાહુબલી રોકેટ લોન્ચ વીઈકલ માર્ક-૩ (એલવીએમ-3) તૈયાર છે. એલવીએમ 3 ભારતનું સૌથી ભારે રોકેટ છે. જેનો સક્સેસ રેટ ૧૦૦ ટકા છે. આ પહેલા ૬ અભિયાનોને અંજામ આપી ચૂક્યું છે.

ભારતના ચંદ્રયાન 3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીના કલાકોમાં ઈસરો ફરી ઈતિહાસ સર્જવા જઈ રહ્યું છે. ૬૧૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ચંદ્રયાન ૩ પર આખી દુનિયાની નજર છે. ત્યારે ઈસરોનું મિશન કેમ ભારત માટે ખાસ છે, જોઈએ આ અહેવાલમાં…

ઈસરો ફરી એકવાર ચંદ્રની સફર કરવા તૈયાર છે. ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ ભારતના અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શુક્રવારે બપોરે ૨ વાગ્યેને ૩૫ મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો ચંદ્રયાન-૩ લોન્ચ કરશે. આ સાથે જ અંતરિક્ષમાં ફરી એકવાર તિરંગો લહેરાશે.

ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. ચંદ્રયાનનો સંબધ વિજ્ઞાન સાથે છે પણ તેને તૈયાર કરનારા વૈજ્ઞાનિકો પોતાની અંગત આસ્થા અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા ઈશ્વરના શરણે ગયા હતા.

લોન્ચિંગ પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકો તિરુપતિના વેંકટચલાપથી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. વૈજ્ઞાનિકોની ટીમમાં ત્રણ મહિલા અને બે પુરુષ સામેલ હતા. જ્યારે ઈસરોના વડા એસ. સોમનાથ તિરુપતિના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. મંદિરમાં દર્શન બાદ તેમણે ચંદ્રયાન 3ની સફલતા માટે આશા વ્યક્ત કરી હતી.

૨૦૧૯માં ઈસરોએ ચંદ્રયાન ૨ લોન્ચ કર્યું હતું પણ કેટલીક ખામીઓને કારણે ચંદ્ર પર લેન્ડિંગ પહેલા જ લેન્ડર ક્રેશ થઈ ગયું અને મિશન સફળ ન થઈ શક્યું. જો કે ઈસરોએ હાર ન માની અને ચાર વર્ષમાં ડિઝાઈનથી લઈને એસેમ્બલિંગમાં ફેરફાર કરીને ચંદ્રયાન ૩ તૈયાર કર્યું છે. આ મિશનથી ઈસરોને તો ઘણી આશાઓ છે જ, પણ દુનિયાની નજર પણ ભારતના આ મિશન પર ટકેલી છે.

અમેરિકા ચંદ્રયાન-૩ મિશનના આધારે પોતાના આર્ટેમિસ મિશનની તૈયારી કરી રહ્યું છે. આર્ટેમિસ મિશન દ્વારા અમેરિકા ફરી એકવાર ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને મોકલવા માગે છે. ભારત-અમેરિકાએ તાજેતરમાં જ આર્ટેમિસ એકોર્ડ પર પણ હસ્તાક્ષર પણ કર્યા હતા.

ચંદ્રયાન-૩ મિશનને લોન્ચ વ્હીકલ LMV3 રોકેટ દ્વારા ચંદ્રની કક્ષા સુધી મોકલવામાં આવશે. ઈસરોના વર્કશોપમાં પહેલા તો ચંદ્રયાનના જુદા જુદા ભાગોને લઈ જઈને એસેમ્બલ કરવામાં આવ્યા. ત્યારબાદ યાન સાથેના રોકેટને લોન્ચપેડ સુધી આવી રીતે લાવવામાં આવ્યું. રેલવે ટ્રેક પર ચાલતી ગાડીમાં ૬૪૦ ટન વજનના બાહુબલી રોકેટને લોન્ચપેડ સુધી લઈ જવાયું. આ રોકેટ ૩૯૦૦ કિલોગ્રામ વજનના ચંદ્રયાન ૩ને ચંદ્રની સફરે લઈ જશે. રોકેટ ચંદ્રયાનને પૃથ્વીથી દૂર ૩૬ હજાર ૫૦૦ કિલોમીટરના અંતરે તરતું મૂકશે. ચંદ્રયાન ૩ ચંદ્રની ધરતી અને ખડકોના બંધારણ તેમજ વાતાવરણનો અભ્યાસ કરશે.

મિશનની સફળતા માટે ઈસરોએ ૨૦૧૯માં થયેલી ખામીઓને દૂર કરી છે, કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે ચંદ્રયાન ૩ના પાયા એટલે કે લેગ્સને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. નવા સેન્સરનો ઉપયોગ કરાયો છે. યાનને સોલર પેનલથી સજ્જ કરાયું છે. આ ઉપરાંત ચંદ્રયાનના લેન્ડિંગ એરિયામાં ચાર ગણો વધારો મિશનમાં કરાયેલું સૌથી મોટું પરિવર્તન છે.

આ ઉપરાંત ચંદ્રયાન ૨થી ઉલટું ચંદ્રયાન ૩માં ઓર્બિટરનો સમાવેશ નથી કરાયો. લેન્ડરને પણ વધારાના ટ્રેકિંગ, ટેલીમેટ્રી અને કમાન્ડ એન્ટીનાથી સજ્જ કરાયા છે.  ચંદ્રયાન ૨એ મોકલેલી લેન્ડિંગ એરિયાની તસવીરોને જોતાં આ ફેરફાર કરાયા છે.

પ્રક્ષેપણના લગભગ ૪૦ દિવસ બાદ ચંદ્રયાન ૨૩ કે ૨૪ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. જેને સોફ્ટ લેન્ડિંગ કહેવાય છે. ચંદ્રયાન-૩ મિશનના લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડરમાંથી રોવર છૂટું પડશે. રોવર પોતાના કેમેરા અને સેન્સર વડે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. આ સમગ્ર કામગીરીને આ એનિમેશનના માધ્યમથી સમજી શકાય છે.

અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પોતાના સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર ઉતારી ચૂક્યા છે. હવે ભારત આ લીગમાં ચોથો દેશ બનશે. જે દરેક ભારતીય માટે ગર્વ લેવાની બાબત છે.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

Latest Post

iPhone 15નું ધાંસુ વેચાણ, પહેલા જ દિવસે સેલ્સમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, વાંચો….

આઈફોન ૧૫ સીરીઝના સેલિંગમાં આ વખતે કંપનીએ વેચાણના પહેલા જ દિવસે મેડ-ઈન-ઈન્ડિયા આઈફોનને વેચાણમાં મુક્યો અને ધાંસૂ ૧૦૦ટકા સેલિંગ જોવા મળ્યુ છે. ટેક દિગ્ગજ...

પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા પાર્ટીના ફોટો

બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન ગઈ કાલે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી...

નાગપુરમાં ધોધમાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરી ભારે વરસાદ શરૂ થયો છે. નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં...

ભારતીય રેલ્વે : ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઈ જશો, જાણો શું છે તેની સજા

તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ...

Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી...

ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે મહાદેવની ઝલક, પીએમ મોદી આ રાજ્યમાં કરશે શિલાન્યાસ 

પીએમ ગંજારીમાં ૪૫૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર અને...

આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ...

નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને...

ફરી ચાર દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આટલા જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪ દિવસ ગુજરાતના ૧૭થી વધુ તાલુકામાં ખાબકી શકે છે...