HomeOffbeatનીતીશ અને ચંદ્રબાબુને હઠાવવા કેન્દ્ર સરકાર બિલ લાવી છેઃ તેજસ્વીનો આરોપ

નીતીશ અને ચંદ્રબાબુને હઠાવવા કેન્દ્ર સરકાર બિલ લાવી છેઃ તેજસ્વીનો આરોપ

Date:

Related stories

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ...

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો...

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની...
spot_img

તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર બ્લૅકમેઇલિંગનો આરોપ લગાવ્યો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે મંત્રીઓને ‘બ્લૅકમેઇલ’ કરવા માટે કેન્દ્ર સરકાર 130મું બંધારણીય સુધારણા બિલ લાવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મું બંધારણીય સુધારણા બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલમાં ભ્રષ્ટાચાર અથવા ગંભીર કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ માટે કસ્ટડીમાં લેવાયા હોય અથવા ધરપકડ કરવામાં આવ્યા હોય તેવા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓને હઠાવવાની જોગવાઈ છે.

તેજસ્વી યાદવે આ વિશે કહ્યું કે “(કેન્દ્ર સરકાર) આ (બિલ) નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ માટે લાવી રહી છે. આ લોકોનું આ જ કામ છે. બ્લૅકમેઇલ કરો. ઈડીના કેસમાં પીએમએલએ ઍક્ટ લગાવાય, તો ઝડપથી જામીન નથી મળતા. આ બધા ટૉર્ચર કરવાનું કામ કરે છે.”

કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ ચાલુ છે. તેના વિશે આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આ યાત્રામાં લોકોનો ટેકો મળ્યો છે.

Subscribe

Latest stories

spot_img