HomeNationalપીએમ મોદી રોડ શોમાં કાર્યકરોને લાવતા બસ ડ્રાઈવરનું હ્રદયરોગથી મોત

પીએમ મોદી રોડ શોમાં કાર્યકરોને લાવતા બસ ડ્રાઈવરનું હ્રદયરોગથી મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના રોડ શો માટે વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો આવી શકે તે માટે એસટી વિભાગે બસો દોડાવી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોમાં લોકોને લઈને આવનાર એક એસટી બસ ડ્રાઈવરનું મોત થયું છે. વડોદરામાં એસટી બસ ડ્રાઈવર મિતેષ જાડિયાનું હૃદય રોગના હુમલાને પગલે મોત થયું છે.

વડોદરામાં પીએમ મોદીના રોડ શો દરમિયાન ભારે ગરમીને પગલે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સ્થળ પર કાર્યકરોને લઇને આવેલા એસટી બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. કાર્યકરોને ઉતારી બસમાં બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી. અસહ્ય બફારા અને ગરમીના કારણે મિતેષભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે.

Subscribe

Latest stories

spot_img