Saturday, Feb 7, 2026

નેપાળના બૈતાડીમાં જાનૈયાની બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 લોકોના કરુણ મોત

2 Min Read

દેશમાં વધુ એક બસ દુર્ઘટનાની ભીષણ ઘટના બની છે, જેમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હાલ પોલીસની ટીમ અને તંત્ર દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમજ મૃતકોના પરિજનોને જાણ કરવામાં આવી છે.

જાનૈયાની બસનો ભયંકર અકસ્માત
ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બૈતાડીમાં જાનૈયાનો લઈને જઈ રહેલી એક બસનો ભયંકર અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે. બસ અકસ્માતના પગલે રોડ પર ભયાનક ટ્રાફિક સર્જાયો છે, તેમજ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યૂ શરુ કર્યું
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, બૈતાડીના પુરચુની નગરપાલિકાના સત ભવને ગામથી બજહાંગના સુનકુડા જઈ રહેલી એક બસ પુરચુનીના બડગાંવ મોડ પાસે પહોંચી ત્યારે કાબૂ બહાર જતી રહી હતી, જેના પગલે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જિલ્લા પોલીસ કાર્યાલય બૈતાડીના પોલીસ પ્રવક્તા, પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ આ અકસ્માત વિશે જણાવ્યું હતું કે, ‘નેપાળ એપીએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ કર્યું શરુ કર્યું હતું.’

મૃતકોના નામ આવ્યા સામે
આ દુર્ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે, તેમાં 40 વર્ષીય કેશવ રાજ જોશી, 13 વર્ષીય અશોક રાજ જોશી, 35 વર્ષીય બસંત રાજ જોશી, 41 વર્ષીય વિષ્ણુ દત્ત જોશી, 42 વર્ષીય નરેશ રાજ જોશી, 17 વર્ષીય બિશન દત્ત જોશી, 28 વર્ષીય દીપક જોશી અને 46 વર્ષીય કિશન જોશી, 60 વર્ષીય મોહન દેવ ભટ્ટ, 27 વર્ષીય કેશવ ભટ્ટ, 40 વર્ષીય બસંત રાજ રતલા, બજાંગ જય પૃથ્વી, 40 વર્ષીય પુષ્પા અવસ્થીનો સમાવેશ થાય છે.

Share This Article