HomeInternationalપાકિસ્તાનની શિયા મસ્જિદમાં જુમ્માની નમાજે બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 24નાં મોત, 101 ગંભીર

પાકિસ્તાનની શિયા મસ્જિદમાં જુમ્માની નમાજે બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 24નાં મોત, 101 ગંભીર

Date:

Related stories

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં મોટો ધમાકો થયો છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિસ્ફોટના સ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પોલીસ અને આર્મીની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જે શહેરની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે. વિસ્ફોટ પછી લોકો દોડધામ કરી મૂકી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરી છે.

પાટનગરના તારલાઈ વિસ્તારની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જે શિયા સમુદાયના લોકો માટે જાણીતી છે. આ હુમલામાં આત્મઘાતીના ચિથરા ઉડી ગયા હતા. સ્યુસાઈડર બોમ્બરે નમાઝ વખતે પોતાને ઉડાવ્યો હતો.

પાકિસ્તાનમાં શિયા સમુદાયના બે કરોડ લોકો છે, જ્યારે કુલ વસ્તીની સંખ્યા લગભગ દસથી બાર ટકા છે. નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો વિસ્ફોટ છે. અહીં એ જણાવવાનું કે 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.

Subscribe

Latest stories