HomeGujaratકોડીનારમાં BLO શિક્ષકની આત્મહત્યા, શિક્ષક સંઘે BLO કામગીરીનો કર્યો બહિષ્કાર

કોડીનારમાં BLO શિક્ષકની આત્મહત્યા, શિક્ષક સંઘે BLO કામગીરીનો કર્યો બહિષ્કાર

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

ગુજરાતમાંથી ફરી એક BLO શિક્ષકના મોતના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, કોડીનારના BLO શિક્ષકે SIR કામગીરીના દબાણથી માનસિક તણાવ અનુભવાતા આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું છે. ત્યારે પીડિત પરિવારે પણ BLOની કામગીરીના કારણે શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી છે.

ગીર સોમનાથના કોડીનારનાં દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. શિક્ષકે આત્મહત્યા પહેલા લખાયેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં sirની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે, બી.એલ.ઓની કામગીરીને કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. અને આવા અનેક શિક્ષકો આવી માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. પીડિત પરિવારને એક કરોડ આપવાની માંગ ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે.

BLO શિક્ષકો પર વધું પડતું દબાણ
આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, SIRની કામગીરીના દબાણના કારણે શિક્ષકે આત્મહત્યા કરી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારના ધ્યાનમાં આ બાબત લાવી રહી છે. 15 તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેદન આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લાના કુટુંબે પણ આક્ષેપ કર્યો છે. આ કામગીરી લઈને શિક્ષક માનસિક સંતુલન અને હતોત્સાહ થઈ ગયો હતો અને આત્મહત્યા તરફ પ્રેરાયો. શિક્ષકના મોતથી એમના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે તેમ નથી. જો કે આ મામલે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી હારીજ શુક્લાએ આ સંદર્ભે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ એસપી દ્વારા તપાસ ચાલુ હોવાની વાતનું રટણ કર્યું.

Subscribe

Latest stories