ગુજરાત સરકારમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૧ એપ્રિલથી વર્ગ ૩ની ૫૫૫૪ જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે જે ૧૯ દિવસ સુધી ચાલશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર ૨૧૨ માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ ૧ એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ ૮મી મે સુધી ચાલશે. ૧૧ જિલ્લાના ૫૫ સેન્ટર ઉપર દરરોજ ૩૨ હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે.
આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં ૦.૨૫ ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. ૧૦૦ માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. ૨૧ માર્ચ થી ઉમેદવારો પોતાના કોલ લીટર ડાઉન લોડ કરી શકશે. પરીક્ષાના ૧ કલાક અગાઉ પોહચવાનું રહશે. ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના ૧૫ મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ. ૪ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.
પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશ ઓડીટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ-૩ પોસ્ટ માટે અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ઉમંદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
GSSSB Recruitment ૨૦૨૪, GSSSB ભરતી ૨૦૨૪ : કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ વેબસાઈટ “https://ojas.gujarat.gov.in“ ની મુલાકાત લો.
- વેબસાઈટ પર જાઓ અને Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો
- વધુ વિગતો પર ક્લિક કરો જાહેરાત/સૂચનાની વિગતો સમયાંતરે જોવામાં આવશે. જે ઉમેદવારોએ વાંચવું જોઈએ.
- “હવે અરજી કરો” પર ક્લિક કરો એક નવી વિન્ડો ખુલશે. સૌ પ્રથમ “વ્યક્તિગત વિગતો” ઉમેદવારે ભરવાની છે.
- વ્યક્તિગત વિગતો ભર્યા પછી હવે “શૈક્ષણિક વિગતો” ભરવાની રહેશે “સેવ” પર ક્લિક કરવાથી ઉમેદવારોનો “એપ્લિકેશન નંબર” જનરેટ થશે જે ઉમેદવારોએ રાખવાનો રહેશે.
- હવે અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો, અહીં તમારો એપ્લિકેશન નંબર લખો અને તમારી જન્મ તારીખ લખો. હવે આ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે.
- આ પેજની ટોચ પર આવેલ ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં “Application Confirm” પર ક્લિક કરો
- હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો. પ્રિન્ટની એક નકલ લો અને તેને સાચવો.
પ્રાથમિક પરીક્ષા રાજ્યના ૫૫ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. ૧ લી એપ્રિલ થી ૮મી મેં સુધી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાની પરીક્ષાની તારીખમાં કોઈ અસર નહીં થાય. આવી સ્થિતિમાં પણ પરીક્ષા લેવામાં જ આવશે. જો પરીક્ષાની તારીખનાં દિવસે મતદાનની તારીખ આવે તો ફેરફાર કરવામાં આવશે. પ્રથમ પરીક્ષા નું પરિણામ ઓગષ્ટ સુધી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવશે અને પછી ઝડપી પરિણામ આપી પાસ થનાર ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવાની નેમ સરકારે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :-