HomeNationalપેહલગામ હુમલા બાદ મોટો નિર્ણય: સિંધુ જળ સંમતિ રદ, અટારી ચેકપોસ્ટ બંધ

પેહલગામ હુમલા બાદ મોટો નિર્ણય: સિંધુ જળ સંમતિ રદ, અટારી ચેકપોસ્ટ બંધ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

જમ્મુ-કાશ્મીરના પેહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાનના નિવાસસ્થાને સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિની બેઠક મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ બેઠકમાં હાજર રહ્યા. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આ બેઠક પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ સંમતિ રદ કરી દીધો છે. સાથે અટારી ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાની મુલાકાત અડધે રસ્તે છોડીને ભારત પાછા ફર્યા હતા. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે સાંજે શ્રીનગર પહોંચ્યા હતા અને બુધવારે ત્યાં સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ દિલ્હી પાછા આવીને CCSની બેઠકમાં ભાગ લીધો.

Subscribe

Latest stories