બાબા બાગેશ્વરનું વિવાદિત નિવેદન ! કહ્યું કે સિંદૂર ન હોય એટલે એવું થાય કે આ…….

Share this story
  • પરિણિત સ્ત્રીઓ પર બાબા બાગેશ્વરનાં વિવાદિત નિવેદનને સાંભળીને સોશિયલ મીડિયામાં લોકો ભડકી ઉઠ્યાં છે. કહ્યું,’તે સંત કે કથાવાચક ન હોઈ શકે’

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનાં નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક પ્રવચન દરમિયાન બાબા બાગેશ્વરની વિવાદસ્પદ ટિપ્પણીને લીધે મહિલાઓ સહિત જનતા રોષે ભરાયા હતાં. તેમણે કહ્યું કે માની લો કે, ‘માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને , ગળામાં મંગળસૂત્ર ન પહેરેલ હોય તો આપણે લોકો શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે.’

તેમની આ વિવાદસ્પદ ટિપ્પણી બાદ અનેક લોકો ટવિટર પર બાબાનાં આ વીડિયોની સાથે લખી રહ્યાં છે કે આવી વાતો કરનારા સંત કે કથાવાચક ન હોઈ શકે. અનેક મહિલાઓએ બાબાનું આ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

“શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ”

આ વીડિયોમાં બાબા બાગેશ્વર આગળ કહે છે કે, ‘…અને જો માંગમાં સિંદૂર ભરેલ હોય, ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણે લોકો દૂરથી જ જોઈને સમજી જાઈએ છીએ કે રજિસ્ટ્રી થઈ ચૂકી છે.’ બાબાની આ ટિપ્પણી સાંભળીને ટવીટર યૂઝર સુજાતા લખે છે કે અમને પણ જાણવું છે કે કયાં-ક્યાં પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ. એક કાયરને બાબા બનાવી દેવામાં આવ્યું છે. શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ. ખરેખર ભાગ્યહીન છીએ.’

“રામજીનાં પાલતૂનાં ગળામાં કંઠી હોય છે”

વીડિયોમાં એક ભાગમાં બાબા કહે છે કે , ‘ડોગ ૨ પ્રકારનાં હોય છે. એક હોય છે પાલતૂ અને બીજો હોય છે ફાલતૂ. પાલતૂનાં ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે રામજીનાં પાલતૂ હોય છે તેના ગળામાં કંઠીમાળા હોય છે.’

આ પણ વાંચો :-