Friday, May 15, 2026

બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ ધરપકડ વૉરંટ, ભ્રામક જાહેરાત કર્યાનો આરોપ

2 Min Read

થિરુવનંથપુરમમાં ભ્રામક જાહેરાતોના કેસમાં કેરળની એક અદાલતે યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ સામે જામીપાત્ર વોરંટ જારી કર્યું છે. કેરળના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.

 

મળતી માહિતી મુજબ પલક્કડના એક ડ્રગ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ડ્રગ ઇન્સ્પેક્ટરે દાવો કર્યો હતો કે બાબાની કંપનીએ એવી ભ્રામક જાહેરાત કરી હતી કે તેમના ઉત્પાદનો ડાયાબિટીસ અને કોવિડ જેવી પરિસ્થિતિનો ઉપચાર કરી શકે છે. તેમની ફરિયાદના આધારે ડ્રગ્સ એન્ડ મિરેકલ રેમિડિઝ (વાંધાજનક જાહેરાત) અધિનિયમ, 1954ની કલમ 3(D) અને કલમ 7 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટ તરફથી આ મામલે બાબા રામદેવ અને બાલકૃષ્ણ તેમ જ દિવ્યા ફાર્મસીને સમન્સ બજવણી કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરી મહિનામાં કેસની સુનાવણી દરમિયાન કોઇ પણ હાજર થયું નહોતું, જેના કારણે કોર્ટે વોરંટ જારી કર્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે પહેલી ફેબ્રુઆરીના રોજ થશે.

હકીકતમાં IMA એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, તેઓ કોવિડ વેક્સિન અને એલોપેથી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતો અને આયુર્વેદિક દવાઓ વિશે ખોટા દાવા કરી રહ્યો હતા. પતંજલિ પર કાયદાનો તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત પતંજલિની જાહેરાતોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article