HomeNationalઆંધ્ર પ્રદેશના નાયડુ CM અને પવન કલ્યાણ ડેપ્યુટી CM પદના શપથ લીધા

આંધ્ર પ્રદેશના નાયડુ CM અને પવન કલ્યાણ ડેપ્યુટી CM પદના શપથ લીધા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન સાથે ચિરંજીવી અને રજનીકાંત પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ અને નાયડુના પુત્ર નારા લોકેશે પણ શપથ લીધા છે.

એક્ટરથી નેતા બનેલા આ દિગ્ગજ હવે આંધ્ર પ્રદેશમાં ઉપ-મુખ્યમંત્રી બનવા આતુર | Actor turned leader is now keen to become the Deputy Chief Minister of Andhra Pradeshઆજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મુખ્ય સચિવ નીરભ કુમાર પ્રસાદે મંગળવારે કહ્યું કે પીએમ મોદી સવારે૧૦.૪૦ વાગ્યે વિજયવાડા એરપોર્ટ પહોંચશે. સમારોહ પછી, મોદી બપોરે ૧૨.૪૫ વાગ્યે ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે ભુવનેશ્વર જશે. નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે. અત્ચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નાંદેડલા મનોહર સામેલ છે.

નાયડુની મંત્રી પરિષદમાં ૧૭ નવા ચહેરાઓ જોવા મળ્યા છે. બીજા આગાઉ પર મંત્રી રહી ચૂક્યા છે. TDP પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા અને મોહમ્મદ ફારુક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીના ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

Subscribe

Latest stories

spot_img