HomeSportsઅજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

અજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

Date:

Related stories

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...
spot_img
  • પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકરની અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ જાહેરાત કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બની ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. અગરકર, અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ની સાથે વર્ચુઅલ ઈન્ટરવ્યૂમાં સામેલ થયા.

ત્યારબાદ તેની વરિષ્ઠ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષના રૂપમાં નિમણૂંકને મંજૂરી મળી ગઈ. નોંધનીય છે કે ચેતન શર્માના રાજીનામા બાદ ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. બોર્ડે હાલમાં અરજી મંગાવી હતી. અગરકરે જ્યારે આ પદ માટે અરજી કરી. ત્યારે તેમને રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા.

અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. અગરકર 1998થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 349 વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન 1855 રન બનાવ્યા હતા. અગરકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી પણ નોંધાયેલી છે.

અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજીત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.

પગારમાં વધારો :

એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે તેના ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

આ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા મુખ્ય પસંદગીકારની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને બીસીસીઆઈ તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ બીસીસીઆઈ તરફ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img