HomeGujaratઅમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! સરખેજમાં આટલા ઇંચ વરસાદ, રસ્તાઓ બન્યા જળમાર્ગ

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! સરખેજમાં આટલા ઇંચ વરસાદ, રસ્તાઓ બન્યા જળમાર્ગ

Date:

Related stories

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...

VIDEO: ભારે કરી! મધ્ય આકાશમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી

લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરોને...

ગુજરાતના આ જિલ્લાઓમાં IMDની Warning, અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી

ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું...

વિદેશ જવાનું પ્લાનિંગ છે? બાળકોના પાસપોર્ટ અંગે સરકારે બદલ્યો મહત્વનો નિયમ

જો તમે તમારા બાળક માટે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી...

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને પ્રથમ ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માન

ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં...
spot_img

અમદાવાદમાં આજે સવારે મેઘતાંડવ સાથે થઈ હતી. વહેલી સવારથી ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં શહેરમાં સરેરાશ 70.33 મિમી એટલે કે 2.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.

સરખેજમાં 5.22 ઇંચ, બાકરોલ-નવરંગપુરામાં પણ ભારે વરસાદ

આ ચાર કલાક દરમિયાન સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સૌથી વધુ 132.50 મિમી એટલે કે 5.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકરોલમાં 110 મિમી, નવરંગપુરામાં 109 મિમી, વાસણામાં 105 મિમી અને સરખેજમાં 98.50 મિમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત કાલુપુરમાં 95 મિમી, ટાગોર કંટ્રોલમાં 93 મિમી, લાંભામાં 91.50 મિમી, મેમનગરમાં 88 મિમી, ચાંદલોડિયામાં 81.50 મિમી તથા દુધેશ્વર અને આશારવામાં 80 મિમી વરસાદ નોંધાયો હતો. શહેરના સાઉથ-વેસ્ટ ઝોનમાં સરેરાશ 89.43 મિમી અને વેસ્ટ ઝોનમાં 84.50 મિમી વરસાદ નોંધાયો હતો.

રસ્તાઓ પાણીમાં ગરકાવ, અંડરપાસ બંધ

ધોધમાર વરસાદના કારણે પરિમલ, શાહીબાગ, અખબારનગર અને મકરબા નજીકના LC-25 અંડરપાસ સહિત અનેક સ્થળોએ પાણી ભરાયું હતું. અખબારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે વાહનવ્યવહાર પર અસર પડી હતી. વેજલપુર, જોધપુર, ઇસ્કોન, શીલજ, હાટકેશ્વર અને નરોડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AMTS-BRTS સેવા પણ ખોરવાઈ

ભારે વરસાદની સીધી અસર જાહેર પરિવહન પર પણ જોવા મળી હતી. ઉપલબ્ધ તાજા ડાયવર્ઝન મુજબ AMTSના 47 રૂટ અસરગ્રસ્ત થયા હતા, જેમાં 41 રૂટ ડાયવર્ટ અને 6 રૂટ અસ્થાયી રીતે ટૂંકાવાયા હતા. BRTSના 17 રૂટમાંથી 5 બંધ, 6 ટૂંકાવાયેલા અને 6 રૂટ ચાલુ રાખવામાં આવ્યા હતા.

વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

ભારે વરસાદ અને વધતી પાણીની આવક વચ્ચે વાસણા બેરેજના 14 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ બેરેજનું પાણીનું સ્ત

Subscribe

Latest stories

spot_img