HomeNationalવિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરે અકસ્માત, દીવાલ પડવાથી 7 લોકોનાં મોત

વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરે અકસ્માત, દીવાલ પડવાથી 7 લોકોનાં મોત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

વિશાખાપટ્ટનમના પ્રસિદ્ધ સિંહાચલમ મંદિરે મોટો અકસ્માત થયો છે. મંદિરે જતા રસ્તા પર આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સની સિમેન્ટની દીવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ભક્તો ઘાયલ થયા છે. ઘટના બાદ તરત જ NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ સ્થિતી સંભાળી છે અને રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ છે. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે.

ગૃહમંત્રી અનિતા ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનો ખ્યાલ લીધો. તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે મળીને રાહત કામગીરીની દેખરેખ રાખી. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે બચાવ કાર્યમાં કોઈ ઢીલાશ ન રાખવામાં આવે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે.

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, “ટોટલ બોર્ડર શ્રી વરાહ લક્ષ્મીનરસિંહ સ્વામીના ચંદનોત્સવ દરમિયાન દીવાલ ધરાશાયી થતા સાત ભક્તોના મોત થયા તે સમાચારથી હું દુઃખી છું. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે મેં ત્યાંની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને એસપી સાથે વાત કરી છે. મેં આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે. હું સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું.

Subscribe

Latest stories