ખાનગી બસ પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી, બસમાં ૨૬ મુસાફરો હતા સવાર

Share this story
  • મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત. બસના ચલાકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમવતા બની ઘટના. ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા શ્રદ્ધાળુઓ.

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા.

 મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે.ત્યારે રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં ૨૬ મુસાફરો સવાર હતા. અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે બસમાં ૨૬ મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા.

 અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ટ મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસેડાયા છે.મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે.

 તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બસ પુલની સાઇડના ભાગે ભટકાઇ હતી અને પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ પુલની સાઈડના ભાગે ભટકાઈ હતી અને પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો :-