શહેરમાં સુરત-ડુમસ રોડ, વાય જંકશન-યુનિવર્સિટી રોડ, રાંદેર માં ગૌરવપથ આવ્યાં છે ત્યારે વરાછા-સરથાણા વિસ્તારમાં એવાં કોઈ ગૌરવપથ-આઈકોનિક રોડ જ નથી ત્યારે મહાપાલિકાએ સરથાણા ઝોન વિસ્તારમાં શ્યામધામ ચોક (લાયન સર્કલ)થી આઉટર રિંગરોડ ની બાઉન્ડ્રી સુધી એટલે કે ટીપી-૨૧ સરથાણા-સિમાડા અને ટીપી-૫૧ કોસમાડા-ખડસદ, પાસોદરા-સિમાડા ને લાગુ વિસ્તાર સુધી ૧.૮ કિલોમિટર લંબાઇમાં ગૌરવપથ તરીકે સાકાર કરવા કવાયત હાથ ધરી દીધી છે. આ આઈકોનિક રોડ રૂપિયા ૨૬ કરોડમાં સાકાર કરવામાં આવશે તે અંગે નો અંદાજ પણ ગત જાહેર બાંધકામ સમિતિ ની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
નવો સરથાણા ઝોન ૧.૮ કિ.મી. લાંબો ગૌરવપથ ડેવલપ કરશે. આ આઇકોનિક રોડને સરકારમાં આગવી ઓળખ હેઠળ મંજૂરી મળી હોય ૨૬ કરોડ ની ગ્રાંટ પણ મળશે, જેમાંથી આખો પ્રોજેક્ટ સાકાર કરાશે. આ ગ્રાંટ માર્ચ સુધીમાં વાપરવાની શરતે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હોવાથી પાલિકા તંત્રએ ઝડપભેર કામગીરી શરૂ કરી છે.
આઈકોનિક રોડમાં બંને છેડે ઈવી ચાર્જીંગ સ્ટેશન હશે સાથે રિફ્રેશમૅન્ટ એરિયા પણ ડેવલપ કરાશે. સુરત-કામરેજ રોડ પર લાયન સર્કલથી મેટ્રો શરૂ થાય છે તેથી આઉટર રિંગરોડને કનેક્ટિવિટી મળશે. લાયન સર્કલથી જમણે 60 મીટરનો રોડ આઉટર રિંગ રોડને ટચ થશે.
સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, ફૂટપાથ, સર્વિસ રોડ-સેપરેટર, સ્ટ્રીટ ફર્નિચર, ચાર્જિંગ સ્ટેશન, રિફ્રેશમેન્ટ એરિયા, હોર્ટિકલ્ચર, સેલ્ફ સસ્ટેનેબલ ગ્રીન કવર સોલાર એનર્જી, પબ્લિક બાઈક સેરિંગ સિસ્ટમ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, બીઆરટીએસ લેન માટે અલાયદી જગ્યા છોડાઈ સુવિધા આવે ત્યાં સુધી ગ્રીનરી કરાશે, મેઇન કેરેજ વે (મિક્સ ટ્રાફિક) સીમાડા-કોસમાડા-ખડસદ-ગઢપૂર તથા સિટીમાં આવનાર માટે આ રોડ ઉપયોગી રહેશે.
આ પણ વાંચો :-
- સુરતમાં ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસ સર્કલમાં સાયકલ ચલાવતા ગરબે ઘૂમ્યા
- બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રોડ લેવાની કામગીરી સામે ખેડૂતો આક્રમક વિરોધ કરતાં, મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ