ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં 14-15 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજિત અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રાજભાષાના શ્રેષ્ઠ અમલીકરણ બદલ પ્રથમ રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
પ્રથમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલી રાજભાષા શિલ્ડ બેંકના MD અને CEO શ્રી કલ્યાણ કુમારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવારની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સ્વીકારી હતી.
આ સન્માન બેંક દ્વારા રાજભાષાના અસરકારક અમલીકરણ, હિન્દીના પ્રચાર-પ્રસાર અને રાજભાષા નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવેલા સતત પ્રયાસોનું પરિણામ છે.
આ પ્રસંગે બેંકની દ્વિભાષી ગૃહપત્રિકા ‘સેન્ટ્રલાઈટ’ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ‘વારસા અંક’નું પણ વિમોચન કરવામાં આવ્યું. રાજભાષા વિભાગના રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, બંડી સંજય કુમાર અને રાજભાષા સચિવ અંશુલી આર્યા દ્વારા તેનું વિમોચન કરવામાં આવ્યું.
સંમેલન દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની 115 વર્ષની ગૌરવશાળી સફર રજૂ કરતી વિશેષ પ્રદર્શન પણ યોજ્યું હતું. તેમાં બેંકની વિરાસત, નવીન પહેલો, રાજભાષા ક્ષેત્રની સિદ્ધિઓ અને વિકાસયાત્રાને વિવિધ મોડલ તથા પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ પ્રસંગે બેંકના MD અને CEO કલ્યાણ કુમાર, કાર્યપાલક નિયામક મહેન્દ્ર દોહરે, મુખ્ય મહાપ્રબંધક-રાજભાષા કુશલ પાલ, સહાયક મહાપ્રબંધક-રાજભાષા હિતેન્દ્ર ધૂમાલ સહિત દેશભરના રાજભાષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.







