Saturday, Aug 1, 2026

CNG વાહનચાલકોને મોટો ફટકો : અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં સીધો આટલા રૂપિયાનો વધારો

1 Min Read

CNG પર ચાલતા લાખો વાહનચાલકો માટે ફરી એકવાર ખિસ્સા પર ભાર વધારતા સમાચાર આવ્યા છે. અદાણી CNG દ્વારા ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે CNG માટે ₹94.02 પ્રતિ કિલો ચૂકવવા પડશે, જ્યારે અગાઉનો ભાવ ₹90.02 પ્રતિ કિલો હતો. આ વધારાની સીધી અસર રોજિંદા મુસાફરી કરતા લોકો, ઓટો-રિક્ષા ચાલકો અને નાના વ્યાવસાયિક વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે.

CNGને અત્યાર સુધી સસ્તું અને પર્યાવરણમિત્ર ઇંધણ માનવામાં આવતું હતું, પરંતુ વારંવારના ભાવવધારાથી તેનો આર્થિક લાભ ઘટતો જઈ રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે CNGના વધેલા દરની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો પૂરતી સીમિત નહીં રહે. નાના કોમર્શિયલ વાહનો અને માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થવાથી દૈનિક ઉપયોગની કેટલીક ચીજવસ્તુઓના ભાવ પર પણ પરોક્ષ અસર થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ફેરફારો અને કુદરતી ગેસના ખર્ચમાં વધારાની અસર ખાનગી સિટી ગેસ વિતરક કંપનીઓના દર પર જોવા મળી રહી છે.

Share This Article