નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આજે કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મજૂરોથી ભરેલો ટેમ્પો અકસ્માતે ઉપરથી પસાર થતા વીજ તારના સંપર્કમાં આવી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ થયેલા બે મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ગણદેવી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
નવસારીના ગણદેવામાં કરૂણ દુર્ઘટના: વીજકરંટથી 3 મજૂરોના મોત, 3 ગંભીર