HomeNationalઅમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 લોકોના મોત

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 લોકોના મોત

Date:

Related stories

5 સપ્ટેમ્બરે થનારી દિલ્હી માર્ચ CJPએ કેમ પાછી ખેંચી?

5 સપ્ટેમ્બરે દિલ્હીના રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરનારી કોકરોચ...

VIDEO: 6 વર્ષના ટેણીયાના મોદી સામે ધરણા!

GEN-Z પછી GEN-ALPHA એક્શનમાં! પટનાના ગર્દનીબાગમાં છ વર્ષનો આદિત્ય...
spot_img

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ વસ્ત્રાલ RAF કેમ્પના જવાનોએ પણ બચાવ કામગીરીમાં જોડાઈ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img