Thursday, Jul 16, 2026

હોર્મુઝથી પસાર થતા જહાજોમાં ભારતીય નાવિકોને તૈનાત ન કરવા, DGMAની એડવાઇઝરી

1 Min Read

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA)એ શિપિંગ કંપનીઓને હોર્મુઝ જળમાર્ગથી પસાર થતા જહાજોમાં ભારતીય નાવિકોની તૈનાતી ટાળવા સૂચના આપી છે. એડવાઇઝરીમાં જહાજ માલિકો, મેનેજમેન્ટ કંપનીઓ અને કેપ્ટનોને ફારસની ખાડી તથા હોર્મુઝ વિસ્તારમાં ખાસ સતર્ક રહેવા અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા જણાવ્યું છે.

DGMAએ જહાજોના કેપ્ટનોને ISPS કોડ મુજબ સુરક્ષા યોજના અમલમાં મૂકવા અને નેવિગેશન સંબંધિત તમામ ચેતવણીઓ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.

તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોર્મુઝ નજીક થયેલા હુમલામાં ભારતીય નાવિકના મોતની ઘટના બાદ ભારતે સાવચેતી વધારી છે. વિસ્તારમાં વધી રહેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે.

Share This Article