HomeNationalBhavnagar: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

Bhavnagar: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

Date:

Related stories

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. ગામના માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પર સિંહે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

સિંહે તેમને થોડા ઘાયલ કર્યા હતા અને એ પછી તેમના પગ સિંહે દબાવી રાખ્યા હતા. બાદમાં થોડી વાર કાળુભાઈ પોતાને છોડાવવા માટે મથ્યાં હતા. કાળુભાઈની બીજી જિંદગી હશે એટલે તેઓ બચી ગયા અને સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. જો સિંહે તેમનું મારણ કરી નાંખ્યું હોય તો આજે તેઓ મોતને ભેટ્યા હોત.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક અચાનક સિંહ આવી ગયો હતો. આ દરમિયાન માલધારી કાળુભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને તેમને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ વન્ય પ્રાણીઓની અવરજવર વધી રહી છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનોએ વન વિભાગને અસરકારક પગલાં ભરવા અને ગામની સુરક્ષા વધારવાની માંગ કરી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.

Subscribe

Latest stories