HomeNationalમહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ: ટીમ ઈન્ડિયા 14 જૂને પાકિસ્તાન...

મહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ: ટીમ ઈન્ડિયા 14 જૂને પાકિસ્તાન સામે રમશે પ્રથમ મેચ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

મહિલા T20 વર્લ્ડ કપ 2026નો આજથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત 12 ટીમો T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, જેના કારણે આ ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની સાતમી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ યજમાન ઈંગ્લેન્ડ 2009 બાદ પ્રથમ વખત ખિતાબ જીતવા માટે પ્રયાસ કરશે, જ્યારે ભારતીય મહિલા ટીમ હજુ સુધી T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની શકી નથી.

આ વર્ષે તમામ 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 5 જુલાઈએ રમાશે.

આજે માત્ર એક જ મુકાબલો
2026 મહિલા T20 વર્લ્ડ કપમાં આજે માત્ર એક જ મેચ રમાશે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ બર્મિંગહામમાં શ્રીલંકાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે શરૂ થશે. હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડની મહિલા ટીમ શ્રીલંકા સામે ભારે પડતી જોવા મળે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 12 T20 મેચોમાંથી ઈંગ્લેન્ડે 10 મેચમાં જીત મેળવી છે.

ભારતનો પહેલો મુકાબલો ક્યારે?
ભારતીય મહિલા ટીમનો આજે કોઈ મુકાબલો નથી. ટીમ ઈન્ડિયા પોતાની અભિયાનની શરૂઆત 14 જૂને પાકિસ્તાન સામે કરશે. બંને ટીમો વચ્ચેનો આ હાઈ-વોલ્ટેજ મુકાબલો બર્મિંગહામ ખાતે રમાશે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં નિર્ભય અને આક્રમક ક્રિકેટ રમશે.

ભારતના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમે આ મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજનો છેલ્લો મુકાબલો 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમાશે, જે ગ્રુપની સ્થિતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Subscribe

Latest stories

spot_img